09 November, 2012 02:55 AM IST |
અર્જુન મોઢવાડિયાએ એક તબક્કે નરેન્દ્ર મોદીની સરખામણી વાંદરા સાથે પણ કરી હતી. કાર્યકરોને સંબોધતાં કહ્યું હતું કે ‘બંદર ઝાડ પર ચડીને ઠેકડા મારી શકે, પણ એ ક્યારેય સિંહ બની નથી શકતો. એવું જ ગુજરાતના મુખ્ય પ્રધાનનું છે. નરેન્દ્ર મોદી છે બંદર અને મનમોહન સિંહ છે સિંહ. જંગલનો રાજા વાંદરવેડા કરતા બંદરને મારવા ઝાડ પર નથી ચડતો, એને ખબર છે કે બંદરે જમીન પર આવવું પડશે. આપણે પણ હવે એ જ કરવાનું છે અને બંદરને નીચે ઉતારવાનો છે.’
મંગળવારે જૂનાગઢના આ મહાસંમેલનમાં શંકરસિંહ વાઘેલા, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ જેવા સિનિયર નેતાઓ પણ હાજર રહ્યા હતા. ગઈ કાલે જ્યારે ‘મિડ-ડે’એ અર્જુન મોઢવાડિયાનો કૉન્ટૅક્ટ કર્યો ત્યારે તેમણે પોતાના ઉપરોક્ત સ્ટેટમેન્ટ બાબતમાં ચર્ચા કરવાની ના પાડી હતી, જ્યારે ગુજરાત બીજેપીના પ્રવક્તા વિજય રૂપાણીએ કહ્યું હતું કે ‘આ પ્રકારનાં સ્ટેટમેન્ટ દેખાડે છે કે કૉન્ગ્રેસ હવે બેબાકળી બની ગઈ છે અને જીત માટે ગટરમાં ઊતરવાની તૈયારી કરી રહી છે.’
જીપીપી = ગુજરાત પરિવર્તન પાર્ટી