પીએમ મોદીના માતા હીરાબાની તબિયત લથડી, અમદાવાદ હોસ્પિટલમાં દાખલ

28 December, 2022 05:13 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

હીરાબાને નાદુરસ્ત સ્વાસ્થ્યને કારણે અમદાવાદ યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

પીએમ મોદી અને હીરાબા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)ના માતા હીરાબા (Hiraba Death)ને અમદાવાદ યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. 

હિરાબાને ગત રાત્રે એટલે કે મંગળવારે અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. આ સમાચાર સાંભળતા જ અમદાવાદના અસારવાના MLA દર્શનાબેન વાઘેલા યુ.એન.મહેતા હોસ્પિટલ પહોંચ્યા છે.

આ પહેલા વર્ષ 2016માં નાદુરસ્ત સ્વાસ્થ્યને કારણે પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરાબાને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તે સમયે અચાનક તબિયક લથડી પડતાં 108 બોલાવી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જો કે, તેમને જનરલ વોર્ડમાં જ દાખલ કરવામાં આવ્યાં હતા અને તે સામાન્ય દર્દીની જેમ જ તેમની સારવાર કરવામાં આવી હતી. 

આ પણ વાંચો:માતા હીરાબેનના જન્મદિવસ પર PM મોદીએ શેર કરી કેટલીક સુંદર યાદો, લખ્યો બ્લોગ

વડાપ્રધાન મોદી થોડી વારમાં અમદાવાદ પહોંચી શકે છે. પીએમ મોદીના આગમન પહેલા એરપોર્ટ પર ચહલપહલ શરૂ થઈ ગઈ છે. 

gujarat news narendra modi