ખનીજચોરીના મામલે BJPના સિંચાઈ મિનિસ્ટર બાબુભાઈ બોખીરિયા દોષમુક્ત

18 November, 2014 05:32 AM IST  | 

ખનીજચોરીના મામલે BJPના સિંચાઈ મિનિસ્ટર બાબુભાઈ બોખીરિયા દોષમુક્ત



આ અગાઉ ૨૦૧૩માં પોરબંદરની નીચલી કોર્ટે તમામને પાંચ હજાર રૂપિયાના દંડની સાથે પાંચ વર્ષની સજા સંભળાવી હતી, જે સજા હવે સેશન્સ કોર્ટ દ્વારા રદબાતલ કરવામાં આવી છે. ચુકાદો આવ્યા પછી બાબુભાઈ બોખીરિયાએ કહ્યું હતું કે ન્યાયતંત્ર પર મને વિશ્વાસ હતો, જે આજે સાર્થક પુરવાર થયો છે.

ઝીંઝરકા ગામે આવેલી લાઇમસ્ટોનની આ જમીન સૌરાષ્ટ્ર કેમિકલ લિમિટેડ કંપની પાસે લીઝ પર છે, જે જમીનમાંથી ૨૦૦૬ના વર્ષ દરમ્યાન ગેરકાયદે ખોદકામ કરીને લાઇમસ્ટોન અને અન્ય ખનીજચોરીની ફરિયાદ સૌરાષ્ટ્ર કેમિકલ દ્વારા બાબુભાઈ બોખીરિયા અને અન્યો સામે કરવામાં આવી હતી.