બાબુ બજરંગી પર જેલમાં હુમલો

20 September, 2012 06:24 AM IST  | 

બાબુ બજરંગી પર જેલમાં હુમલો


૨૦૦૮માં અમદાવાદમાં થયેલા બૉમ્બબ્લાસ્ટના આરોપીઓએ જેલમાં આવેલા દવાખાનામાં બાબુ બજરંગીને બે લાફા મારી દીધા હતા. જોકે જેલ-સુપરિન્ટેન્ડન્ટ આર. જે. પારગીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે દવાખાનામાં કેદીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને આ મુદ્દે બે જેલરની તપાસ-સમિતિ નીમી છે.

સાબરમતી મધ્યસ્થ જેલમાં આવેલા દવાખાનામાં ગઈ કાલે સવારે સાડાદસ વાગ્યાની આસપાસ બાબુ બજરંગી હાઇપર ડાયાબિટીઝ હોવાથી યુરિન અને બ્લડ-ટેસ્ટ માટે અને પગના અંગૂઠા પર વાગતાં એનું ડ્રેસિંગ કરાવવા ગયો હતો. દરમ્યાન અન્ય કેદીઓ પણ અહીં સારવાર માટે આવ્યા હતા જેમાં બૉમ્બબ્લાસ્ટના આરોપીઓ પણ હતા. આ દરમ્યાન કોઈ મુદ્દે ઘર્ષણ થતાં બાબુ બજરંગીને બૉમ્બબ્લાસ્ટના આરોપીઓએ બે ઝાપટ મારી દીધી હતી. મામલો વધુ બીચકે એ પહેલાં સિક્યૉરિટી ગાડ્ર્સે પરિસ્થિતિ કન્ટ્રોલમાં કરીને કેદીઓને છૂટા પાડી દીધા હતા.