મોદી કા જાદુ ચલ ગયા

21 October, 2012 05:14 AM IST  | 

મોદી કા જાદુ ચલ ગયા



અમદાવાદ: પત્રકારમાંથી રાજકારણી બનેલાં અને ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસનાં ભૂતપૂર્વ પ્રવક્તા ભરૂચનાં આસિફા શેખ ગઈ કાલે અમદાવાદમાં વિધિવત્ બીજેપીમાં જોડાઈ ગયાં હતાં.

ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસના કામ કરવાની સ્ટાઇલ અને તેમના આગવા અંદાઝથી ઘણી બધી મહિલા-યુવતીઓમાં તેઓ રોલમૉડલ સમાન તેમ જ લોકપ્રિય બન્યા છે ત્યારે કૉન્ગ્રેસને ‘ખુદા હાફિઝ’ કહીને ગઈ કાલે બીજેપીમાં જોડાયેલાં મહિલા મુસ્લિમ અગ્રણી આસિફા શેખે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદીની વિકાસ યાત્રાથી હું અટ્રૅક્ટ નહીં થઈ તો હું ઇન્સાન નથી. નરેન્દ્ર મોદી ગુજરાતને તરક્કીની રાહ પર ચલાવી રહ્યા છે અને કોઈ ભેદભાવ વગર બધાને સાથે લઈને ચાલ્યા છે.’

ગઈ કાલે ગાંધીનગરમાં આસિફા શેખે ગુજરાતના મુખ્ય પ્રધાન સાથે મુલાકાત કરી હતી અને બીજેપી જૉઇન કર્યું હતું. ગોધરાકાંડના મુદ્દે પુછાયેલા પ્રશ્નના ઉત્તરમાં આસિફા શેખે કહ્યું હતું કે ‘જે થયું એ ખોટું થયું. તેમના (નરેન્દ્ર મોદીના) કાર્યકાળમાં આ ઘટના બની. ૨૦૦૨ની ઘટનાનું દુ:ખ છે, પણ જિંદગી આગળ તો વધવી જ જોઈએ.’