ગહલોતમાં હિંમત હોય તો રાજસ્થાનમાં દારૂબંધી કરે: સીએમ વિજય રૂપાણી

09 October, 2019 08:32 AM IST  |  રાજકોટ

ગહલોતમાં હિંમત હોય તો રાજસ્થાનમાં દારૂબંધી કરે: સીએમ વિજય રૂપાણી

સીએમ વિજય રૂપાણી

રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહલોતે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં ઘરે-ઘરે દારૂ પીવાય છે. ત્યાર બાદ બીજેપી-કૉન્ગ્રેસે એકબીજા પર શાબ્દિક પ્રહારો કર્યા હતા, જેના પર સોમવારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પ્રહાર કરતાં કહ્યું હતું કે અશોક ગહલોતે સાડાછ કરોડ ગુજરાતીઓનું અપમાન કર્યું છે. ગુજરાત કૉન્ગ્રેસને ક્યારે માફ નહીં કરે.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજકોટની મુલાકાત લીધી હતી. સીએમએ પોતાના સ્વ. પુત્ર પુજિતના જન્મદિવસની ઝૂંપડપટ્ટીનાં બાળકો સાથે ઉજવણી કરી હતી. સીએમ રૂપાણીએ બાળકોને પ્રોત્સાહિત કર્યાં હતાં. બાળકોને ફનવર્લ્ડમાં રાઇડની મોજ કરાવી હતી. સીએમ રૂપાણી સાથે તેમનાં પત્ની અંજિલ રૂપાણી પણ હાજર રહ્યાં હતાં. આ ટ્રસ્ટના ચૅરમૅન સીએમ રૂપાણી છે. દર વર્ષે પુજિતના જન્મદિવસે આ કાર્યક્રમ યોજવામાં આવે છે.

આ પણ વાંચો : રાજ્યમાં 70 ટકા લોકો નૉનવેજ અને દારૂનો ઉપયોગ કરે છે: શંકરસિંહ

અશોક ગહલોતના નિવેદન પર સીએમ રૂપાણીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે રાજસ્થાનના સીએમમાં હિંમત હોય તો દારૂબંધી કરી બતાવે. રાજસ્થાનમાં મહિલાઓ દારૂબંધીની માગ કરી રહી છે જેથી ગહલોત આવા બફાટ મારી રહ્યા છે.

Vijay Rupani gujarat Ashok Gehlot