30 August, 2012 03:01 AM IST |
હેલિકૉપ્ટર કાબૂ બહાર જતાં સમયસૂચકતા વાપરીને તરત જ આસારામબાપુ અને તેમની સાથે રહેલા બે અનુયાયીઓએ છલાંગ મારી દીધી હતી. આસારામબાપુના સત્સંગી ઉદય મહેતાએ કહ્યું હતું કે ‘બધાને સામાન્ય ઈજા થઈ છે. ચિંતાજનક કાંઈ નથી.’
ગઈ કાલે બપોરે બે વાગ્યે આસારામબાપુ મોરબીથી હેલિકૉપ્ટરમાં રવાના થયા ત્યારે જ હેલિકૉપ્ટરમાં ટેક્નિકલ ખામી હતી, પણ એ ખામીને દરગુજર કરવામાં આવી હતી. ગઈ કાલે સાંજથી ગોધરામાં આસારામબાપુની સત્સંગસભા શરૂ થવાની હતી, જે શરૂ થાય એ પહેલાં ૪.૪૦ વાગ્યે હેલિકૉપ્ટર ક્રૅશ થતાં સત્સંગ રદ કરવામાં આવ્યો હતો. આજે સત્સંગ રાબેતા મુજબ ચાલુ રહેશે.