મોઢવાડિયાએ મોદીને કહ્યું “કાયદો શું છે એ આપને અને આપની સરકારને શીખવાડી દઈશ”

17 October, 2011 06:54 PM IST  | 

મોઢવાડિયાએ મોદીને કહ્યું “કાયદો શું છે એ આપને અને આપની સરકારને શીખવાડી દઈશ”

 

નરેન્દ્ર મોદીને ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસના પ્રમુખ અજુર્ન મોઢવાડિયાનો ખુલ્લો પત્ર

સંજીવ ભટ્ટ કેસમાં રાજકીય રંગ આપવા માટે કારણ વિના તેમનું નામ ઘુસાડવામાં આવ્યું હોવાનું જણાવીને નરેન્દ્ર મોદીને ચીમકી આપતાં કહ્યું છે કે ‘જો આપનામાં હિંમત હોય તો ગેરકાનૂની ધરપકડ કરવાનો હુકમ કરી જોજો. હું કાયદો શું છે એ આપને અને આપની સરકારને શીખવાડી દઈશ. ગેરકાનૂની રીતે મારી જાસૂસી કરીને મારા મોબાઇલ નંબરની ગેરકાનૂની રીતે કૉલ-ડિટેઇલ મેળવીને ડિસ્ટ્રિક્ટ ર્કોટમાં રજૂ કરી છે.’