પાટીદારોથી ડરીને આનંદીબહેન રાજકોટની મૅચ જોવા નહીં જાય

07 October, 2015 03:29 AM IST  | 

પાટીદારોથી ડરીને આનંદીબહેન રાજકોટની મૅચ જોવા નહીં જાય


પણ ગઈ કાલે આનંદીબહેન પટેલે પોતે આ મૅચમાં હાજર નહીં રહે એ સંદર્ભનો મેસેજ સૌરાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશનને આપી દીધો છે. આનંદીબહેન પટેલ પહેલી વખત કોઈ ક્રિકેટ-મૅચમાં હાજર રહેવાનાં હતાં, પણ પાટીદારો દ્વારા વિરોધ થવાનો હોવાથી તેમણે આ મૅચમાં હાજર રહેવાનું ટાળી દીધું છે.

આનંદીબહેને લીધેલા આ નિર્ણયથી હાર્દિક પટેલે નક્કી કરેલા પ્રોગ્રામમાં કોઈ ચેન્જ થવાનો નથી. હાર્દિક પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાજકોટની મૅચમાં પાટીદારો અનામતની માગણી કરવા માટે હાજર રહેશે એ નક્કી છે. માત્ર દક્ષિણ ગુજરાતથી પાંચેક હજાર પાટીદારો આ મૅચ જોવા માટે રાજકોટ પહોંચશે. મૅચ અમારા માટે અધિવેશન સમાન હશે.’