માનો કે ન માનો, મોદીને ચોક્કસ સ્વીકારવા જ પડે : આનંદ મહિન્દ્રા

11 November, 2011 04:46 PM IST  | 

માનો કે ન માનો, મોદીને ચોક્કસ સ્વીકારવા જ પડે : આનંદ મહિન્દ્રા


આનંદ મહિન્દ્રાએ ગઈ કાલે કંપનીના રાજકોટના પ્લાન્ટમાં તૈયાર થયેલા મહિન્દ્રા ટ્રૅક્ટર્સના નવા મૉડલ ‘યુવરાજ-૧૫’નું લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણના આ કાર્યક્રમ દરમ્યાન આનંદ મહિન્દ્રાએ કહ્યું હતું કે ‘હવે કંપનીને જો સાચું ડેવલપમેન્ટ જોઈતું હોય તો એણે ગુજરાતમાં પોતાનો પ્લાન્ટ શરૂ કર્યા વિના છૂટકો નથી. બીજાં રાજ્યોમાં જે ઝડપે કામ થાય છે એના કરતાં ગુજરાતમાં આ કામ લગભગ ત્રણ ગણી ઝડપે થાય છે.’


આનંદ મહિન્દ્રાએ એવી પણ સ્પષ્ટતા કરી હતી કે એ જ રાજ્ય ડેવલપ થઈ શકે જે રાજ્યના લોકો પોતે ડેવલપ થવા માગતા હોય અન્યથા ગમે તેવી સ્ટ્રૉન્ગ વ્યક્તિ આવે તો પણ રાજ્યનું ડેવલપમેન્ટ ન થાય.