27 April, 2025 03:16 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
અમદાવાદ-ગાંધીનગર વચ્ચે શરૂ થયેલી મેટ્રો
ગુજરાતમાં અમદાવાદ-ગાંધીનગર વચ્ચે શરૂ થયેલી મેટ્રો ટ્રેન હવે સચિવાલય સુધી જશે. આજથી શરૂ થઈ રહેલી આ સુવિધાને કારણે રોજબરોજ અમદાવાદથી સચિવાલય જતા હજારો કર્મચારીઓ અને નાગરિકોની અવરજવર માટે વધુ એક વ્યવસ્થા ઉપલબ્ધ થશે. મેટ્રો ટ્રેન દર અડધો કલાકે ઉપલબ્ધ થશે. મેટ્રો ટ્રેન પહેલાં અમદાવાદથી ગાંધીનગરના સેક્ટર એક સુધી
જતી હતી.