અમદાવાદમાં ૧૧૧ જિનાલયોનાં શુદ્ધીકરણ કરવાની અપૂર્વ ઘટના સર્જાશે

19 August, 2012 04:53 AM IST  | 

અમદાવાદમાં ૧૧૧ જિનાલયોનાં શુદ્ધીકરણ કરવાની અપૂર્વ ઘટના સર્જાશે

જિનાલય શુદ્ધીકરણ પરિવારના નીરવ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સાધ્વી મૈત્રીરતનાશ્રીજી, સાધ્વી ઋજુરતનાશ્રીજી અને સાધ્વી ઋષિરતનાશ્રીજીની પ્રેરણાથી તેમ જ તેમના માર્ગદર્શનમાં અમદાવાદ શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં આવેલાં જિનાલયોનું શુદ્ધીકરણ રવિવારે હાથ ધરવામાં આવશે. આ શુદ્ધીકરણકાર્યમાં અમદાવાદના પાંચ હજાર જેટલા ભાવિકો જોડાશે.’ તેમણે દાવો કરતાં કહ્યું કે ‘૧૦૦ વર્ષના ઇતિહાસમાં ગુજરાતમાં અમદાવાદ ખાતે સૌપ્રથમ વાર અંદાજે ૧૨,૦૦૦ જેટલી પ્રતિમાઓનું શુદ્ધીકરણ થશે.’

અમદાવાદમાં ૧૧૧ જિનાલયોના ભગવાનની આરસની અને ધાતુની પ્રતિમાઓનું પાંચ હજાર જેટલા ભાવિકો દહીં, વડી પાઉડર સહિતના મિશ્રણથી શુદ્ધીકરણ કરશે અને ૧૦૮ નદીઓના જળથી પ્રક્ષાલન કરાશે.