Gujarat Lok Sabha Election 2019 : વિજય રૂપાણીએ માન્યો જનતાનો આભાર

23 May, 2019 12:20 PM IST  |  અમદાવાદ

Gujarat Lok Sabha Election 2019 : વિજય રૂપાણીએ માન્યો જનતાનો આભાર

વિજય રૂપાણીએ કરી પ્રેસ કોન્ફરન્સ

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વલણો સ્પષ્ટ થતા પ્રેસ કોન્ફરન્સ કરી. જેમાં જીતુ વાઘાણી, વિજય રૂપાણી, પરષોત્તમ રૂપાલા, ભરત પંડ્યા, આઈ. કે. જાડેજા સહિતના ભાજપના હોદ્દેદારો અને નેતાઓ હાજર રહ્યા.

પ્રેસ કોન્ફરન્સના મહત્વના મુદ્દાઃ

-દેશમાં આજે મોદી લહેર છે.

-આ જીત ભારતવાસીઓની જીત છે.

-ભારતની જનતાએ કમળને મત આપ્યો છે.

-કોના હાથમાં દેશ સલામત છે, તે જોઈને ભારતની જનતાએ મત આપ્યા છે.

-મોદીજીના કારણે ભાજપને મોટી જીત મળી.

-અમિત શાહની ચાણક્ય નીતિએ જીત અપાવી.

-બંગાળમાં બલિદાન આપનાર કાર્યકર્તાઓને નમન.

-ભારત વિજય ભવઃ વિજય રૂપાણી

Vijay Rupani gujarat Loksabha 2019