અસામાજિક તત્વોએ મહાત્મા ગાંધીની પ્રતિમા તોડી પાડી

05 January, 2020 09:06 AM IST  |  Mumbai Desk

અસામાજિક તત્વોએ મહાત્મા ગાંધીની પ્રતિમા તોડી પાડી

અમરેલી જિલ્લાના લાઠીના અકાળા રોડ પર અસામાજિક તત્વોએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડી નાખી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. ગાંધી પ્રેમીઓ અને સ્થાનિક લોકો પણ સ્થળ પર દોડી ગયા હતા. ઘટનાની ગંભીરતાને લઇને એ.એસ.પી.પ્રેમસુખ ડેલુ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને લોકોએ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

mahatma gandhi gujarat