રાજસ્થાનના ચુરુની ગૌશાળામાં ૯૪ ગાયનાં મોત

23 November, 2020 01:50 PM IST  |  Mumbai | Agencies

રાજસ્થાનના ચુરુની ગૌશાળામાં ૯૪ ગાયનાં મોત

ફાઇલ ફોટો

રાજસ્થાનના ચુરુ જિલ્લાના બાઇલોબાસ ગામમાં આવેલી ગૌશાળામાં છેલ્લાં બે દિવસમાં શનિવારે કોઈ અકળ કારણોસર લગભગ ૯૪ જેટલી ગાય મૃત્યુ પામી હોવાનું જાણવા મળ્યું છે. શનિવારે ૮૦ ગાયો તો ગઈ કાલે ૧૪ ગાયો મરણ પામી હતી.
ગાયોનાં મૃત્યુ ખોરાકી ઝેરની અસર, અસાધ્ય રોગને કારણે કે પછી અન્ય કારણોસર થયાં છે તે જાણવા માટે આ બાબતની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે એમ સરદાર શહરના તહેસીલદાર કુટેન્દ્ર કુંવરે જણાવ્યું હતું. ગાયોને આપવામાં આવેલાં ખોરાકનાં સૅમ્પલ લઈને ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે.

rajasthan national news