૮ લાખ લોકોએ ગિરનારની લીલી પરિક્રમા કરી

10 November, 2011 08:30 PM IST  | 

૮ લાખ લોકોએ ગિરનારની લીલી પરિક્રમા કરી

 

જૂનાગઢના મેયર ગિરીશ કોટકે ગઈ કાલે કહ્યું હતું કે ‘ગયા વર્ષ કરતાં ત્રણ લાખ લોકો વધુ આવ્યા. જો છેલ્લા દિવસે પણ એન્ટ્રી ચાલુ રાખવામાં આવી હોત શક્ય છે કે આ વર્ષે પદયાત્રીઓની સંખ્યા દસ લાખ કરતાં પણ વધી ગઈ હોત. આવતા વર્ષે અમે એવી તકેદારી રાખીશું કે જેથી પૂનમના દિવસે પણ પદયાત્રીઓ પરિક્રમા શરૂ કરી શકે.’

ગઈ કાલે સવારે અગિયાર વાગ્યાથી આ પરિક્રમા જ બંધ કરી દેવામાં આવી હતી અને જંગલમાં જે કોઈ પદયાત્રીઓ હોય એને જ પરિક્રમા પૂર્ણ કરવા દેવામાં આવી હતી.