અંબાજી મંદિરનું ૫૦ કિલો સોનું બૅન્કમાં જમા કરવામાં આવશે

14 December, 2011 09:37 AM IST  | 

અંબાજી મંદિરનું ૫૦ કિલો સોનું બૅન્કમાં જમા કરવામાં આવશે

 

હાલમાં કેટલીક નૅશનલાઇઝ્ડ બૅન્કો સાથે ગોલ્ડ ડિપોઝિટ કરવા બાબતે વાતચીત ચાલી રહી છે. અંબાજીમાં માતાજીના મંદિરમાં ભાવિકો શ્રદ્ધાપૂર્વક સોના-ચાંદીનાં આભૂષણો ચડાવે છે. આવા ઉપયોગમાં ન લેવાતા સોનાને નૅશનલાઇઝ્ડ બૅન્કમાં ડિપોઝિટ કરવા માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો અને એ વિશેની જરૂરી મંજૂરી માટે ગુજરાત સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી. હાલમાં મંદિરને ૫૦ કિલો સોનું ડિપોઝિટ કરવાની મંજૂરી રાજ્ય સરકારે આપી છે.