અમદાવાદમાં ૩૦,૦૦૦થી વધુ ભાવિકોએ પ્રગટાવી મીણબત્તીઓ

13 November, 2012 06:23 PM IST  | 

અમદાવાદમાં ૩૦,૦૦૦થી વધુ ભાવિકોએ પ્રગટાવી મીણબત્તીઓ

આ કાર્યક્રમમાં ‘દીપોત્સવ - મૅક્સિમમ કૅન્ડલ લાઇટ ઍટ સિંગલ વેન્યુ કૅટેગરી’માં ગિનેસ વલ્ર્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. એમાં એકસાથે ૩૦,૦૦૦ કરતાં વધુ ભાવિકોએ મીણબત્તીઓ પ્રગટાવીને દિવાળીના તહેવારને આવકાર્યો હતો અને light to peace નો મેસેજ આપીને મહાલક્ષ્મી માતાની આરતી ઉતારી હતી. મિડિયા કો-ઑર્ડિનેટર  વૈશાલી દેસાઈએ આ બાબતે કહ્યું હતું કે ‘૩૦,૦૦૦ કરતાં વધુ લોકોએ ગઈ કાલે મીણબત્તી પ્રગટાવી હતી. આ વખતે ગિનેસ વલ્ર્ડ રેકૉર્ડ્સના ઑબ્ઝર્વર હાજર રહ્યા હતા અને આ બનાવની નોંધ લઈને એની પ્રોસેસ શરૂ કરી હતી.’

આરતી પછી શ્રી શ્રી રવિશંકરે બધાને દિવાળીની શુભેચ્છાઓ આપી આર્શીવચન આપ્યાં હતાં.

તસવીર : નીરવ ત્રિવેદી