16 November, 2011 09:45 AM IST |
પાંચ દિવસના આ મહામહોત્સવની વ્યવસ્થા માટે કુલ ૮૮ સમિતિ બનાવવામાં આવી છે. ઉમિયા મહામહોત્સવ દરમ્યાન ૧૦૮ મહાકુંડી યજ્ઞ કરવામાં આવશે, જેની સાથોસાથ મહામહોત્સવમાં આનંદ મેળો, કૃષિ મેળો, બાળનગરી, પ્રદર્શન જેવા એન્ટરટેઇનમેન્ટ માટેના એરિયા પણ ડેવલપ કરવામાં આવશે.
ઈસવી સન ૧૯૮૫માં સિદસરના ઉમિયા માતાજીના મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવી હતી એને પચીસ વર્ષ થયાં હોવાથી હવે ઉમિયા રજતજયંતી મહામહોત્સવનું આયોજન થઈ રહ્યું છે.
ઉછામણી થશે ૪ ડિસેમ્બરે
ઈસવી સન ૧૯૯૯માં સિદસરમાં ઉમિયા પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવ ઊજવાયો હતો. એ પછી પહેલી વાર આ પ્રકારના મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. ઉમિયા મહામહોત્સવની સેવા-પૂજાની કુલ ૧૦૮ કૅટેગરી માટે ઉછામણી ૪ ડિસેમ્બરે સિદસરમાં કરવામાં આવશે. ઉમિયા મહામહોત્સવ સમિતિનું ધારવું છે કે આ ઉછામણીમાં અંદાજે પચીસ કરોડ રૂપિયાની બોલી લાગશે.