ગોકુલાષ્ટમી નિમિત્તે દ્વારકાનું મંદિર રાતે અઢી વાગ્યા સુધી ખુલ્લું રહેશે

08 August, 2012 05:46 AM IST  | 

ગોકુલાષ્ટમી નિમિત્તે દ્વારકાનું મંદિર રાતે અઢી વાગ્યા સુધી ખુલ્લું રહેશે

આ અગાઉ રાતે દોઢ વાગ્યા સુધી મંદિર ખુલ્લું રાખવામાં આવતું હતું, પણ છેલ્લાં બે વર્ષથી ભાવિકોની દર્શન માટે મોટી સંખ્યામાં ભીડ થતી હોવાથી સમયમર્યાદા લંબાવીને એક કલાક વધારવામાં આવી છે. છેલ્લાં બે વર્ષ દરમ્યાન દર વર્ષે અંદાજે એક લાખથી વધુ ભાવિકો દર્શન કર્યા વિના પાછા જતા રહે છે. જામનગરના કલેક્ટર સંદીપકુમારે કહ્યું હતું કે ભાવિકોએ પાછા ન જવું પડે અને દર્શન કરવા માટે પૂરતો સમય મળી રહે એ માટે આ ગોકુલાષ્ટમીથી મંદિર રાતે અઢી વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવશે.

 

રાતે અઢી વાગ્યા સુધી મંદિર ખુલ્લું રાખ્યા પછી બીજા દિવસે રાબેતા મુજબ સવારે છ વાગ્યે ફરીથી દર્શન માટે મંદિર ખોલવામાં આવશે.