સંકટનો શનિવાર: રાજ્યમાં જૂદા જૂદા 2 અકસ્માતમાં 3ના મોત

19 January, 2019 02:36 PM IST  | 

સંકટનો શનિવાર: રાજ્યમાં જૂદા જૂદા 2 અકસ્માતમાં 3ના મોત

2 અકસ્માતમાં 3ના મોત

શનિવારની સવારે રાજ્યમાં અકસ્માતની બે ઘટનાઓ બની છે જેમાં 3 લોકોએ જીવ ગુમાવ્યો છે. અમરેલીના બાબરા પાસે થયેલા અકસ્માતમાં બે યુવાનોએ જ્યારે આણંદના ભાલેજ ઓવરબ્રિજ પાસે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.

અમરેલીના બાબરા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. રસ્તાની વચ્ચે આવેલી ગાયને બચાવવા જતા કાર અને સામેથી આવી રહેલી ટ્રક વચ્ચે અકસ્માત થયો છે, જેના કારણે વાનમાં સવાર બે યુવાનોએ જીવ ગુમાવ્યો હતો. ઘટનાને પગલે બાબરા પાસેના સ્થાનિકો ઉમટી પડ્યાં હતાં અને પોલીસને ઘટના અંગે જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રસ્તાઓ પર રખડતા ઢોરના કારણે અવારનવાર અકસ્માતના બનાવો બનતા રહે છે અને આ બે યુવાનો રસ્તામાં આવેલી ગાયને બચાવવા જતા અકસ્માતનો ભોગ બન્યા હતા.

તો બીજો અકસ્માત આણંદના ભાલેજ ઓવરબ્રિજ પર થયો. ભાલેજ ઓવરબ્રિજ ઉપર બેફામ આવતા ટ્રકે એક બાઈક ચાલકને ટક્કર મારતા બાઈક સવારનું ઘટના સ્થળે જ મોત થયું હતું. પ્રાથમિક તપાસમાં આ બાઈક સવારનું નામ અબરાર મુસ્તાકભાઈ વ્હોરા હોવાનું સામે આવ્યું છે. મૃતક આજે બાઈક લઈને સામરખા ચોકડીથી આણંદ તરફ આવી રહ્યાં હતા ત્યારે ભાલેજ ઓવરબ્રિજ ઉપર પાછળથી પૂરપાટ ઝડપે આવી ચઢેલી નંબર પ્લેટ વગરની ટ્રકે બાઈકને ટક્કર મારી હતી. આ ટક્કરમાં અબરારભાઈને માથામાં તથા શરીરના ભાગે ઈજાઓ થઈ હતી અને ઘટનાસ્થળે જ મોત થયું હતું. ટક્કર મારીને ટ્રકનો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો પોલીસ આ વિશે તપાસ હાથ ધરી છે અને ટ્રક ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.