પરિક્રમા માટે નવા એક લાખ લોકો જૂનાગઢ આવ્યા

08 November, 2011 08:30 PM IST  | 

પરિક્રમા માટે નવા એક લાખ લોકો જૂનાગઢ આવ્યા



પરિક્રમાને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર-કચ્છમાંથી એસ. ટી. ડેપોએ કુલ ચાલીસ વધારાની બસ ફાળવી છે, પણ પરિક્રમાને મળી રહેલા રિસ્પૉન્સને જોઈને ગઈ કાલે વધુ આઠ બસ ફાળવ્યા પછી પણ ધસારાને પહોંચી શકાયું નહોતું અને શ્રદ્ધાળુઓ બસ કે ટ્રેનના છાપરે ચડીને જૂનાગઢ પહોંચ્યા હતા. ગઈ કાલે જૂનાગઢમાં એક લાખથી વધુ ભાવિકો પહોંચ્યા હતા અને રૂપાયતન ગેટથી ૭૨,૧૯૪ લોકોએ પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો. આવા અભૂતપૂર્વ ધસારાની ધારણા નહીં હોવાથી જૂનાગઢ કલેક્ટર વિભાગ દ્વારા ઊભી કરવામાં આવતી માળખાકીય સુવિધા ખૂટી પડી હોવા છતાં લોકો કોઈ જાતની ફરિયાદ વિના પોતાની પરિક્રમા કરી રહ્યા હતા.