મોદી સ્વાર્થ ખાતર ગમે એ જાહેર કરી દે એવો માણસ : કેશુભાઈ

16 December, 2012 03:42 AM IST  | 

મોદી સ્વાર્થ ખાતર ગમે એ જાહેર કરી દે એવો માણસ : કેશુભાઈ



બે દિવસ પહેલાં નરેન્દ્ર મોદીએ સરક્રીક મુદ્દે વડા પ્રધાન મનમોહન સિંહને પત્ર લખ્યો હતો. આ પત્ર જાહેર કરવાની બાબતમાં કેશુભાઈ પટેલે ઉપરોક્ત પ્રતિક્રિયા આપી હતી અને બંધારણને સ્પષ્ટ કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાનપદના શપથ લેવામાં આવે છે ત્યારે આ પ્રકારની વાતો ગોપનીય રાખવાના શપથ પણ આપવામાં આવે છે. મુખ્ય પ્રધાન વડા પ્રધાનને પત્ર લખે એ એક બંધારણીય ઘટના છે. એ જાહેર કરવું એટલે રાજનૈતિક ગુનો છે. આ પત્રમાં કંઈ એવું ખાસ નથી, પણ મોદી એવો માણસ છે જે પોતાના સ્વાર્થ ખાતર ગમે એ જાહેર કરી દે. પોતાની જાતને વડા પ્રધાન તરીકે પ્રોજેક્ટ કરતા આ માણસ માટે હું તો જનતાને કહીશ કે આવા માણસને વડા પ્રધાન બનાવીએ તો તે ગમે એવાં રાજકીય રહસ્યો ખુલ્લામાં જાહેર કરી દે. તેને મહત્વના પદે બેસાડવાની ભૂલ કોઈ દિવસ ન કરાય.’