Gujarat Update: ગુજરાતમાં નવા 363 કેસિઝ, 392 દર્દીઓ ડિસ્ચાર્જ થયા

22 May, 2020 09:07 PM IST  |  Gandhinagar | Gujarati Mid-Day Online Correspondent

Gujarat Update: ગુજરાતમાં નવા 363 કેસિઝ, 392 દર્દીઓ ડિસ્ચાર્જ થયા

ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 363 દર્દી નોંધાયા છે અને 29નાં મોત થયા છે. જ્યારે 392 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આજે બીજીવાર કેસ ઓછા અને ડિસ્ચાર્જ વધુ નોંધાયા છે જે સારા સમાચાર માની શકાય. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 13,273 કેસ નોંધાયા છે અને  મૃત્યુ આંક 802 થયો છે.

11 દર્દીનાં કોરોનાને કારણે અને 18ના અન્ય બીમારી, હાઈરિસ્ક તથા કોવિડ 19થી મોત થયા છે. કુલ દર્દી 13,273માંથી 63 વેન્ટીલેટર પર, 6,528ની હાલત સ્થિર, ડિસ્ચાર્જ 5,880 અને 802ના મોત થયા છે. આજે જે કૂલ 363 કેસિઝ આવ્યા છે તેમાંથી અમદાવાદમાં 275, સુરતમાં 29, વડોદરામાં 21, સાબરકાંઠામાં 11, સુરેન્દ્રનગરમાં 5, ગીર-સોમનાથમાં 4, ગાંધીનગરમાં 3, ખેડામાં 3, કચ્છમાં 3, જુનાગઢમાં 3 કેસ નોંધાયા છે.

coronavirus covid19 gujarat gandhinagar