06 May, 2019 06:47 PM IST |
ખુલશે ગંગોત્રી ધામના દરવાજા
ચારધામની યાત્રા કહેવાય એટલી સરળ હોતી નથી. કપરા ચઢાણો,ઠંડી વગેરેનો સામનો કરવો પડે છે. આ યાત્રાધામને લઈને લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. કેદારખંડમાં કહેવાય છે કે, ભક્તિ વગર જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી એટલે જ યમુનોત્રી અને ત્યારબાદ ગંગોત્રીની યાત્રા કરવી જોઈએ
કઈ રીતે પહોચી શકાય?
જો તમે હવાઈ મુસાફરી કરી રહ્યા છો તો જૌલીગ્રાંટ નજીક એક હવાઈમથક આવેલું છે જે ગંગોત્રીથી 275 કિલોમીટરના અંતર પર આવેલું છે. આ સિવાય જો તમે ટ્રેનથી મુસાફરી કરી રહ્યા છો તો તમે ઋષિકેશ સુધી મુસાફરી કરી શકશો ત્યાથી તમારે રોડ દ્વારા 248 કિલોમીટર અંતર કાપવાનું રહેશે. જો તમે પબ્લિક રોડ ટ્રાંસપોર્ટેશનનો ઉપયોગ કરી રહ્યા છો તો તમને હરિદ્વાર-ઋષિકેશથી ઘણી બસો મળી શકશે