મલાઈ શ્રીખંડ

28 September, 2011 02:07 PM IST  | 

મલાઈ શ્રીખંડ

 

 

 

- મીતા ભરવાડા


સામગ્રી :

-   એક લિટર દૂધનું દહીં
-   અડધો કપ મલાઈ
-   પોણો કપ દળેલી સાકર
-   થોડું કેસર
-   ચપટી એલચી પાઉડર
-   છ-આઠ પલાળીને કાપેલી બદામ


રીત :

દહીંને પાતળા કપડામાં પાણી નીતરી જાય એ રીતે બાંધી ફ્રીઝમાં બેથી ત્રણ કલાક રહેવા દો. હવે એનું પાણી નીતરી ગયા બાદ એમાં સાકર અને કેસર નાખીને ખૂબ હલાવો. સાકર ઓગળી જાય એટલે એમાં મલાઈ ઉમેરીને ફરી હલાવો. પછી એમાં એલચી પાઉડર મિક્સ કરી બદામથી સજાવી ઠંડું કરીને પીરસો.