24 November, 2020 11:12 AM IST | Mumbai | Nandini Trivedi
ઉપજ્ઞા પંડ્યા અને વાગ્દેવી સરસ્વતી
વાગ્દેવી સરસ્વતીની પૂજાના આ પવિત્ર અવસરે 'સ્વરગુર્જરી' દ્વારા ત્રણ દેવીની ઉપાસના પ્રસ્તુત થઈ હતી. મા સરસ્વતી, મા મહાલક્ષ્મી અને મા દુર્ગા. ગુજરાતી સુગમ સંગીતનાં જાણીતાં ગાયિકા ઉપજ્ઞા પંડ્યાના કંઠે સરસ્વતી વંદના રજૂ થઈ તેમજ અમદાવાદની નૃતિ નૃત્ય સંસ્થા દ્વારા મા દુર્ગા અને મા મહાલક્ષ્મીની આરાધનાનાં નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યાં.
વાકબારસ એટલે જીવનમાં કળા, સાહિત્ય, સંગીત અને સર્જકતાનું મહત્વ. મહાલક્ષ્મી સમૃદ્ધિનું પ્રતીક તથા મા દુર્ગા શક્તિ સ્વરૂપા. કલા ઉપાસકો અને આપણા સૌ ઉપર પર દેવી કૃપા કૃપા સદૈવ વરસતી રહે એ જ અભ્યર્થના.