આમલકી એકદાશી(Amalaki Ekadashi ) નો વિધિસર ઉપવાસ કરવાથી, જીવનસાથી સંબંધિત, સિક્ષણ સંબંધિત અને સંતાન સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મેળવવા ભગવાનનો આર્શિવાદ પ્રાપ્ત થાય છે.
પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)
આજે ફાગણ માસની બીજી એકાદશી છે, આ દિવસને આંબળાની એકાદશી (Amalaki EKadashi) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી માટે ઉદયતિથિ અનુસાર આ વખતે ઉપવાસ 3જી માર્ચે કરવામાં આવશે. પરંતુ એકાદશીની તિથિ 2 માર્ચ રહેશે. આ વખતે એકદાશી 2જી માર્ચે એટલે કે ગુરુવારે આવી છે. આવો અદ્ભૂત સંયોગ ક્યારેક જ સર્જાતો હોય છે કે એકાદશી અને ગુરુવાર એકસાથે હોય. ગુરુવારનો દિવસ વિષ્ણુ ભગવાનની પૂજા કરવા માટે સર્વશ્રષ્ઠ માનવામાં આવે છે. માટે જ આ દિવસે એકદાશી આવતાં તેનું મહાત્મ્ય વધી જાય છે.
- આમલકી એકાદશી 2023 મુહૂર્ત (Amalaki Ekadashi Muhurat)
- ફાગણ શુક્લ આમલકી એકાદશી તિથિ શરૂ થાય છે - 2 માર્ચ, 2023, સવારે 6.39 કલાકે
- ફાગણ શુક્ત આમલકી એકાદશી તિથિ પૂર્ણ થાય છે- 3 માર્ચ, 2023, સવારે 9.12
- આમલકી એકાદશીના ઉપવાસનો સમય - સવારે 06.48 - સવારે 09.09 (4 માર્ચ 2023)
ઉલ્લેખનીય છે કે આંબળાની એકાદશીને `આમલકી એકદાશી` અને `રંગભરી એકાદશી` તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વખતે તેનો ઉપવાસ 3જી માર્ચે રાખવામાં આવશે. આ દિવસે સંપૂર્ણ ભક્તિ-ભાવ સાથે પૂજા-અર્ચના કરી વિષ્ણુ ભગવાનની આરાધના કરી વ્રત રાખવું. આમલકી એકાદશી વ્રતની અસરથી સાધક જન્મ-મરણના બંધનમાંથી મુક્તિ મેળવીને વિષ્ણુલોકની પ્રાપ્તિ કરે છે. આ વ્રત રાખવાના ઘણા ફાયદા છે.
આમલકી એકાદશી પર આવું ઉપાયો કરવાથી મળશે સફળતા
- એકાદશીના દિવસે આંબળાના ઝાડને સ્પર્શ કરી તેને પ્રણામ કરવું જોઈએ
- જીવનસાથીના મનની ઈત્છા પૂર્ણ કરવા માટે તમારે સતત સાત વખત આંબળાના વૃક્ષ પર દોરો ચડાવી વૃક્ષ પાસે ઘીનો દિવો પ્રગટાવવો જોઈએ
- સારા સ્વાસ્થ્ય માટે આંબળાની પૂજા કરી તેનું દાન કરવું જોઈએ
- ઓફિસમાં તમારી સાથે કોઈ વિપરિત સ્થિતિ ન ઉભી થાય તે માટે આંબળાના ઝાડને જળપાન કરાવવું જોઈએ અને વૃક્ષ નીચે લાગેલી માટીમાંથી તિલક કરવું જોઈએ
- શિક્ષણમાં ઉન્નતિ પ્રાપ્ત કરવા માટે દૂધમાં કેસર અને ખાંડનું મિશ્રણ કરી ભગવાન વિષ્ણુને ભોગ લગાવવો જોઈએ, સાથે જ ભગવાનનો આર્શિવાદ લઈ એક વિદ્યા યંત્ર ધારણ કરવું જોઈએ
- પારિવારિક સંબંધોને બહેતર બનાવવા માટે શ્રી વિષ્ણુ ભગવાનના મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ.. મંત્ર છે-`ઓમ નમો ભગવતે નારાયણાય`.
- સંતાન સુખ માટે 11 નાના બાળકોને આંબળાની કેન્ડી અથવા આંબળાનો મુરબ્બાનું સેવન કરાવવું જોઈએ