Mirzapur 2ના વિવાદમાં કાલિન ભૈયાએ કહ્યું આ...

29 October, 2020 08:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mirzapur 2ના વિવાદમાં કાલિન ભૈયાએ કહ્યું આ...

ફાઈલ તસવીર

મિર્ઝાપુર 2 વેબ સિરીઝ ટ્રેન્ડિંગમાં છે, જોકે પરંતુ સાથે સાથે વિવાદો પણ આ સિરીઝ સાથે જોડાયેલી છે.

હાલમાં જ સંસદસભ્ય અનુપ્રિયા પટેલે આ સિરીઝ સામે એક નિવેદન આપ્યું હતું. મિર્ઝાપુરના સંસદસભ્ય અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન અનુપ્રિયા પટેલે કહ્યું હતું કે આ વેબ સિરીઝ દ્વારા જિલ્લાની છબીને દૂષિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને સરકારે તેની તપાસ કરવી જોઈએ. અનુપ્રિયા પટેલ બાદ પ્રખ્યાત હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવે પણ મિર્ઝાપુર 2 ની ટીકા કરી હતી. હવે મિર્ઝાપુરમાં કાલીન ભાઈની ભૂમિકા નિભાવનારા પંકજ ત્રિપાઠીએ આ વિવાદ અંગે નિવેદન આપ્યું છે.

પંકજ ત્રિપાઠીએ એક ન્યૂઝ પેપર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે,‘દરેક એપિસોડની શરૂઆત પહેલાં એક ડિસ્ક્લેમર આવે છે જેમાં જણાવાયું છે કે મિર્ઝાપુર એક કાલ્પનિક કહાની છે અને તેનો કોઈ માનવી અથવા સ્થળ સાથે કોઈ સંબંધ નથી. હું એક અભિનેતા છું અને હું આ મામલે વધુ કંઈ કહેવા માંગતો નથી.

તેમણે ઉમેર્યું કે, ‘આ સિવાય, હું એ પણ કહેવા માંગુ છું કે જો મિર્ઝાપુર સિરીઝમાં ગુનેગારો છે તો તેમાં રામકાંત પંડિત નામનો હીરો પણ છે, જે શહેર માટે સારું કામ કરવા માંગે છે.

web series pankaj tripathi entertainment news