05 January, 2022 04:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કીર્તિ કુલ્હારી
કીર્તિ કુલ્હારીનું કહેવું છે કે તેની ‘હ્યુમન’ને કારણે તે ડૉક્ટરને અલગ રીતે જોઈ શકી છે. આ શોને હૉટસ્ટાર પર રિલીઝ કરવામાં આવશે જેમાં તે ડૉક્ટર સાયરા સબરવાલનું પાત્ર ભજવી રહી છે. આ વિશે વાત કરતાં કીર્તિએ કહ્યું હતું કે ‘આ પાત્ર હું ભજવી રહી હતી ત્યારે ડૉક્ટરના કેવા વિચાર હોય છે એ હું જાણી શકી હતી. ડૉક્ટર હોવું શું હોય છે એ હું જાણી શકી હતી. કોઈનું દુઃખ દૂર કરવા માટે પોતાનું વિચાર્યા વગર સામેની વ્યક્તિની નિઃસ્વાર્થ ભાવે મદદ કરવી એ હું સમજી હતી. આ કારણસર હું ડૉક્ટરને અલગ નજરિયાથી જોઈ શકી છું.’