સમીર શર્માના નિધન બાદ તેમની વાયરલ પોસ્ટ પર રિચા ચઢ્ઢાએ આપ્યું નિવેદન

07 August, 2020 06:51 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

સમીર શર્માના નિધન બાદ તેમની વાયરલ પોસ્ટ પર રિચા ચઢ્ઢાએ આપ્યું નિવેદન

સમીર શર્મા (ફાઇલ ફોટો)

ટીવી અભિનેતા સમીર શર્માએ સુસાઇડ કરી લીધું છે. તેમનું શબ રસોડાના પંખા પર લટકતું મળ્યું. પોલીસ આ મામલે તપાસમાં લાગેલી છે. સમીર શર્માએ પોતાના નિધનના થોડાક દિવસો પહેલા એક પોસ્ટ શૅર કરી હતી, જેમાં તેમણે પોતાની એક કવિતા લખી હતી. સમીરે જે કવિતા લખી હતી તે હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. જેમાં લખ્યું છે કે, "મેં મારી ચિતા બનાવી અને હું તેના પર સુઈ ગયો. મારી જ આગે તેને બાળી. હું તેમાં બળતો રહ્યો. મેં મારા સપના મારી નાખ્યા જેથી હું જાગી શકું. હવે મારા સપના તૂટી ગયા હતા. જાગ્યો તો ફક્ત રાખ જ નસીબમાં મળી અને તેમાં હું હતો જે બચી ગયો હતો અને તેને મેં ઉઠાવ્યો અને નદીમાં વહાવી દીધો, એ આશા સાથે કે કદાચ આ વખતે મારું સપનું સારું હશે."

સમીર શર્માની આ પોસ્ટ પર રિચા ચઢ્ઢાએ કોમેન્ટ કરી છે કે, "આ એક વૉર્નિંગ સાઇન હતી. ભગવાન તમારી આત્માને શાંતિ આપે."

કહેવામાં આવી રહ્યું છે કે સમીર શર્માના મૃત્યુને 2-3 દિવસ થઈ ગયા છે. જે સમયે પોલીસ સમીરના ફ્લેટ પર પહોંચી ત્યારે અભિનેતાની બૉડી ડિકમ્પૉઝ હોવાની શરૂ થઈ ગઈ હતી.

સમીર શર્માના શબને તેમની સોસાઇટીના ચોકીદારે ડ્યુટી દરમિયાન લટકતું જોયો. તેણે અન્ય લોકોને આ વિશે માહિતી આપી અને પોલીસને ઇન્ફૉર્મ કર્યું. સમીર મલાડ વેસ્ટ સ્થિત નેહા સીએચએસ બિલ્ડિંગમાં રહેતા હતા. આ ફ્લેટ તેમણે આ વર્ષે ફેબ્રુઆરીમાં જ ભાડે લીધો હતો. પોલીસ સમીરના પાડોશી, શૉની સ્ટારકાસ્ટ સાથે આ મામલે પૂછપરછ કરશે. હાલ સમીર શૉ 'યે રિશ્તે હે પ્યાર કે'માં કામ કરતા હતા.

જણાવીએ કે સમીર, 'સાસ ભી કભી બહુ થી', 'કહાની ઘર-ઘર કી', 'લેફ્ટ રાઈટ લેફ્ટ', 'ઇસ પ્યાર કો ક્યા નામ દૂં- એક બાર ફીર', 'ગીત હુઈ સબસે પરાઇ', 'દિલ ક્યા ચાહતા હૈ', 'વો રહેને વાલી મહલો કી', અને 'જ્યોતિ' જેવા શૉઝમાં કામ કરી ચૂક્યા છે.

television news entertainment news