Yeh Rishta Kya Kehlata haiમાં બદલાશે સ્ટોરી, આ એક્ટર કહેશે શૉને અલવિદા

23 August, 2021 01:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Yeh Rishta Kya Kehlata Hai: `યે રિશ્તા ક્યા કહેલાતા હૈ`માં મોટું પરિવર્તન આવવાનું છે. કહેવામાં આવી રહ્યું છે કે શૉનો વીડ એક્ટર શૉ છોડવાનો છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

`યે રિશ્તા ક્યા કહેલાતા હૈ` (Yesh Rishta Kya Kehlata Hai) છેલ્લા 12 વર્ષથી લોકોનો મનગમતો શૉ છે. લોકોને આજે પણ આ શૉ અને તેના ચાહકો શૉની સ્ટારકાસ્ટને પણ ખૂબ જ પ્રેમ કરે છે. સોશિયલ મીડિયા પર ચાહકોનો પ્રેમ જોવા મળે છે. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે શૉમાં મોટું પરિવર્તન થવાનું છે. શૉના મેકર્સે શૉનું ટ્રેક બદલવાનો વિચાર કર્યો છે. આની સાથે જ ચર્ચાઓ પ્રમાણે એક લીડ એક્ટર પણ શૉને આ દરમિયાન અલવિદા કહેવાનો છે.

મોહસિન ખાને કરી શૉ  છોડવાની તૈયારી
ટેલી ચક્કરના રિપૉર્ટ પ્રમાણે તાજેતરમાં જ સીરત (Sirat) અને કાર્તિક (Kartik) એક થયા છે. કાર્તિક અને સીરતના લગ્ન પછી હવે મેકર્સ કંઇક મોટું કરવાની પ્લાનિંગ કરી રહ્યા છે. રિપૉર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ દરમિયાન શૉનો લીડ એક્ટર મોહસિન ખાન શૉને અલવિદા કહેવાનો છે. છેલ્લા 5 વર્ષથી મોહસિન ખાન (Mohsin Khan) શૉનો ભાગ છે. લોકોને તેને ખૂબ જ પસંદ પણ કરી રહ્યા છે. વર્ષો સુધી શૉ સાથે જોડાઇ રહ્યા બાદ હવે એક્ટર શૉને છોડવા માગે છે.

શૉમાં આવશે મોટી લીપ
હવે લોકો ચોંકી ઉઠશે કે આખરે મોહસિન ખાન શૉ યે રિશ્તા ક્યા કહેલાતા હૈને કેમ છોડી રહ્યા છે? જણાવવાનું કે આની પાછળ એક મોટું કારણ છે. શૉમાં એક મોટી લીપ આવશે, જેના પછી શૉના બધા પાત્ર વૃદ્ધ દેખાશે. મોહસિન એટલે કે કાર્તિકનું પાત્ર પણ વૃદ્ધ દેખાશે. મોહસિન ખાન હાલ એક વૃદ્ધ વ્યક્તિનું પાત્ર નથી પ્લે કરવા માગતો. એવામાં તે શૉને છોડવું બહેતર સમજે છે.

શૉના મેકર્સ કરી રહ્યા છે મોહસિન સાથે વાતચીત
કહેવામાં આવી રહ્યું છે કે મોહસિન ખાન હવે ફિલ્મો અને વેબસીરિઝ માટે પણ પ્રયત્ન કરી રહ્યો છે. આમ તો શૉના મેકર્સ અને મોહસિન ખાન વચ્ચે વાતચીત થઈ રહી છે. શૉના પ્રૉડ્યૂસર રાજન શાહી મોહસિન સાથે સતત સંપર્કમાં છે. એવામાં જોવાની વાત એ છે કે મોહસિન ખાનનું મન પરિવર્તિત થાય છે કે તે હંમેશને માટે `યે રિશ્તા ક્યા કહેલાતા હૈ` (Yeh Rishta Kya Kehlata Hai)ને અલવિદા કહેશે.

television news entertainment news yeh rishta kya kehlata hai indian television