“યે રિશ્તા ક્યા કહેલાતા હે”ની આ અભિનેત્રી હવે જોવા નહી મળે

12 April, 2019 03:44 PM IST  | 

“યે રિશ્તા ક્યા કહેલાતા હે”ની આ અભિનેત્રી હવે જોવા નહી મળે

યે રિશ્તા ક્યા કેહલાતા હૈ (ફાઇલ ફોટો)

'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં સ્વર્ણાનું પાત્ર ભજવતી અભિનેત્રી પારુલ ચૌહોણ શૉ છોડી રહી છે. તેનું કારણ જણાવતાં તેણે કહ્યું કે તે આ ઉમંરે દાદીનું પાત્ર ભજવવા સક્ષમ નથી તેણે જણાવ્યું કે તેણે શૉના પ્રૉડ્યુસર સાથે વાત કરી અને પ્રૉડ્યુસર પારુલની ચિંતાના સમજી ગયા છે અને તે શૉ છોડી રહી છે.

પારૂલને “બિદાઇ” સિરીયલથી મળી હતી ફેમ

ટેલિવીઝનની લોકપ્રિય અભિનેત્રી પારુલ ચૌહાણને 'બિદાઇ'થી ફેમ મળી છે. આ અભિનેત્રીએ 12 ડિસેમ્બર 2018ના રોજ તેના બૉયફ્રેન્ડ ગુજરાતી અભિનેતા ચિરાગ ઠક્કર સાથે લગ્ન કર્યા. 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં નાયરાની સાસ અને કાર્તિકની માતાનું પાત્ર છેલ્લા અઢી વર્ષથી ભજવી રહી છે.

પારૂલે ગુજરાતી અભિનેતા ચિરાગ ઠક્કર સાથે કર્યા છે લગ્ન

'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' શૉ છોડવા પાછળ પારુલે કારણ આપ્યું છે કે તે અત્યારે દાદીનું પાત્ર ભજવવા માટે તૈયાર નથી તેમજ તે આ પાત્ર માટે સક્ષમ નથી. તેની સાથે આ શૉ છોડ્યા બાદ તે પોતાની પર્સનલ લાઇફ માણવા માગે છે. પારુલ ઠક્કરે વર્ષ 2018ના 12 ડિસેમ્બરના રોજ ગુજરાતી અભિનેતા ચિરાગ ઠક્કર સાથે લગ્ન કરી પ્રભુતામાં પગલાં માંડ્યા. અભિનેત્રી પોતાના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે તેમજ અવારનવાર ચિરાગ સાથે તે પોતાના ફોટોઝ તેમજ વીડિયોઝ શેર કરતી હોય છે.

આ પણ વાંચો : એકતા કપૂર સાથે કોઈ પણ પ્લૅટફૉર્મ પર કામ કરવા તૈયાર છે સુશાંત સિંહ રાજપૂત

આ પહેલા હિના ખાન પણ શો છોડી ચુકી છે

ઉલ્લેખનીય છે કે આ પહેલા હિના ખાને આ શૉ છોડ્યો હતો. હિના ખાન ત્યાર બાદ બિગ બૉસમાં જોવા મળી હતી અને હવે તે કસોટી ઝિંદગી કી 2માં જોવા મળે છે એવું પણ કહેવાય છે કે હિના ખાન આ શૉ પણ છોડી રહી છે.

television news yeh rishta kya kehlata hai entertaintment