10 July, 2020 10:04 PM IST | Rajkot
લૉકડાઉન પછી ફરી શરૂ થયેલી સિરિયલમાં નવા ટર્ન-ટ્વિસ્ટ લાવવા સૌકોઈ મથે છે એમાં સ્ટાર પ્લસની ‘યે રિશ્તા કયા કહલાતા હૈ’ના મેકર્સે બહુ મોટો ટ્વિસ્ટ લીધો છે. હવે લૉકડાઉન પછી ઑનઍર થનારા નવા એપિસોડમાં વાર્તામાં ટર્ન આવશે અને શિવાંગી જોષી એટલે કે નાયરાની ટ્વિન-સિસ્ટર એવી ટીના ઘરમાં એન્ટર થશે. નૅચરલી બન્ને એકમેકથી બિલકુલ વિપરીત છે. નાયરા અને ટીનાનું કૅરૅક્ટર કરતી શિવાંગી કહે છે, ‘નાયરા આજ્ઞાંકિત વહુ છે અને તેની સામે ટીના આજની જનરેશનની બોલ્ડ અને સ્ટાઇલિશ છે. બન્ને કૅરૅક્ટરમાં જમીન-આસમાનનો ફરક છે. નાયરા માટે ફૅમિલી સૌથી પહેલાં છે, પણ ટીના માટે તે પોતે અગ્રીમ સ્થાને છે.’
શિવાંગી જોષી લાઇફમાં પહેલી વાર ડબલ રોલ કરે છે. શિવાંગીએ કહ્યું કે ‘લૉકડાઉનમાં હું શૂટ અને સેટને મિસ કરતી, પણ એ સમયે ખબર નહોતી કે જેવું લૉકડાઉન ખૂલશે કે તરત જ મને એકને બદલે બે રોલ કરવા મળશે.’
‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ના નવા એપિસોડની શરૂઆત સોમવારથી થશે.