રતિ દરરોજ સાડાચાર વાગ્યે શું કામ જાગે છે?

20 November, 2020 08:46 PM IST  |  Rajkot | Mumbai correspondent

રતિ દરરોજ સાડાચાર વાગ્યે શું કામ જાગે છે?

રતિ દરરોજ સાડાચાર વાગ્યે શું કામ જાગે છે?

દંગલ ચૅનલના શો ‘દેવી આદિ પરાશક્તિ’માં મા પાર્વતીનું કૅરૅક્ટર કરતી રતિ પાંડેએ જ્યારથી સિરિયલનું શૂટિંગ શરૂ થયું છે ત્યારથી સવારે સાડાચાર વાગ્યે જાગવાનો નિત્યક્રમ બનાવી લીધો છે. રતિ સવારમાં જાગીને ફ્રેશ થયા પછી દરરોજ પોતાના ડાયલૉગ્સ અને હાવભાવ પાક્કા કરે છે. હા, માત્ર ડાયલૉગ્સ માટે રતિએ વહેલું જાગવું પડે છે. રતિએ કહ્યું કે ‘એક તો ઐતિહાસિક સિરિયલ, એમાં પાછી શુદ્ધ હિન્દી અને એ ઉપરાંત શબ્દો પણ એવા જે અગાઉ ક્યારેય સાંભળ્યા ન હોય. જો હું સીધી શૂટિંગમાં આ બધું વાંચું તો મારી સાથે બધાનો ટાઇમ બગડે અને સેટ પર તો મૂવમેન્ટ પણ સેટ કરવાની હોય એટલે એમાં પણ સમય જાય. જો બધું એકસાથે કરવાનું આવે તો બધાએ હેરાન થવું પડે અને એવું ન બને એટલે મેં આ પ્રકારે તૈયારી ચાલુ કરી દીધી, જેનો બેનિફિટ પણ થાય છે.’

રતિ પાંડેએ જ્યારે સિરિયલ સાઇન કરી ત્યારે તેને મનમાં પણ નહોતું કે લોકો તેના આ કૅરૅક્ટરને આટલું પસંદ કરશે. રતિ કહે છે, ‘સારો રિસ્પૉન્સ તમને વધારે સિરિયસ બનાવે, હું અત્યારે મારા કૅરૅક્ટર માટે અતિશય સિરિયસ થઈ ગઈ છું.’

rajkot entertainment news television news