15 June, 2020 08:25 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent
પદ્મજા રાધાકૃષ્ણન
વર્ષ 2020 ખૂબ જ દુઃખદ રહ્યું છે. એક પછી એક નામી સિતારાઓના નિધનના સમાચાર આવી રહ્યા છે. હજી તો બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કાર થયા છે ત્યાં ગીતકાર પદ્મજા રાધાકૃષ્ણનનાં નિધનના સમાચાર આવી રહ્યા છે. પદ્મજા એ તેમના વતન તિરુવનંતપુરમની એક હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
પદ્મજા મલયાલમના લોકપ્રિય સંગીતકાર સ્વર્ગીય એમ.જી. રાધાકૃષ્ણનનાં પત્ની હતાં. તેમના મૃત્યુ સાથે જ મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં શોકનો માહોલ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પદ્મજાને શ્વાસ લેવામાં તકલીફ થવાની સમસ્યા હતી. પદ્મજાને તિરુવનંતપુરમની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન જ સોમવારે તેમને હાર્ટએટેકને કારણે તેમનું મોત થયું. 68ની વયે પદ્મજાએ તેમના વતન તિરુવનંતપુરમમાં અંતિમ શ્વાસ લીધા. પદ્મજાએ 2013માં રિલીઝ થયેલી લોકપ્રિય મલયાલમ ફિલ્મ મિસ્ટર બીન માટે અનેક ગીતો લખ્યા હતા.
જણાવવાનું કે ફિલ્મમાં પ્રીતમ કેગેન અને બિજુકટ્ટન મુખ્ય ભૂમિકામાં હતા. પદ્મજાને પહેલાથી કળામાં ખૂબ જ રસ હતો. તેમણે સ્થાનિક સ્તરે અનેક પ્રદર્શનોનું આયોજન કર્યું હતું.