સંતોષી માં સુનાયે વ્રત કથાએંના શૂટિંગ દરમ્યાન દીવાલ પડતાં અકસ્માત

10 December, 2019 11:04 AM IST  |  Mumbai

સંતોષી માં સુનાયે વ્રત કથાએંના શૂટિંગ દરમ્યાન દીવાલ પડતાં અકસ્માત

તન્વી ડોગરા

મેરી સાસુ માં’ સિરિયલમાં બબીતા અખિલેશ શર્માના પાત્રથી જાણીતી બનેલી અભિનેત્રી તન્વી ડોગરા તેની આગામી સિરિયલ ‘સંતોષી માં સુનાયે વ્રત કથાએં’ના શૂટિંગ દરમ્યાન ઈજા પામી છે.
૨૦૧૫માં ઍન્ડ ટીવી પર આવેલા ‘સંતોષી માં’ બાદ ઍન્ડ ટીવી પર ફરી આ માયથોલૉજિકલ ટીવી-સિરિયલ શરૂ થવા જઈ રહી છે, જેમાં ‘લગાન’ ફેમ અભિનેત્રી સંતોષી માના પાત્રમાં છે અને અભિનેત્રી તન્વી ડોગરા સંતોષી માની સૌથી મોટી ભક્ત બની છે. તે આ માટે ઘોડબંદર કિલ્લામાં શૂટિંગ કરી રહી હતી ત્યારે એક સીન દરમ્યાન તે ઈજા પામી હતી. તન્વીએ એક દીવાલ પર બેસવાનું હતું. જેવી તે દીવાલ ક્રૅક થવા લાગી ત્યારે દીવાલ પર બેઠેલા દરેક જણ પડી ગયા હતા. તન્વી ડોગરા ઉપરાંત તેના કો-સ્ટાર, અસિસ્ટન્ટ ડિરેક્ટર અને અસિસ્ટન્ટ ડીઓપી આશિષ કાદિયાનને પણ ઈજા પહોંચી છે. તન્વીને અનેક ઘા થયા છે અને તેના અંગૂઠા સહિત ચહેરાની ડાબી બાજુ સૂજી ગઈ છે. અભિનેત્રીને ૧૦ દિવસના આરામની સલાહ આપવામાં આવી છે.

entertaintment tv show