05 October, 2020 10:03 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અર્જુન બિજલાની અને નેહા સ્વામી
લોકપ્રિય ટેલિવિઝન એક્ટર અર્જુન બિજલાની( Arjun Bijlani) પત્ની નેહા સ્વામી (Neha Swami)નો કોરોના વાઈરસ રિપોર્ટ પૉઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે. એક્ટરે ટ્વિટર દ્વારા પોતાના ફૅન્સને આ વાતની જાણકારી આપી છે. પોતાના ટ્વિટમાં એક્ટરે આ વાતની પણ જાણકારી આપી છે કે નેહાને કોરોના પૉઝિટિવ હોવાનું જાણવા મળ્યા બાદ એને અને એના પરિવારને બે સપ્તાહ માટે ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. અર્જુન બિજલાનીએ તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના પરીક્ષણ કરાવવા અપીલ કરી છે. સાથે જ એમણે આ વાતની પણ જાણકારી આપી છે કે તેઓ બધા સ્વસ્થ અને સુરક્ષિત છે.
અર્જુન બિજલાનીએ પોતાના ટ્વિટમાં લખ્યું- મિત્રો મારી પત્નીનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. મેં અને મારા પરિવારે પોતે આગામી 14 દિવસ માટે સેલ્ફ-ક્વૉરન્ટીન કરી લીધું છે. જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તે બધાને પણ વિનંતી છે કે તેઓ પણ તેમનો કોરોના ટેસ્ટ કરાવે. અમે સ્વસ્થ અને સુરક્ષિત છીએ અને હું આશા રાખું છું કે અમે આવું કરતા રહીશું. અમને તમારી પ્રાર્થનામાં રાખો.
આ દરમિયાન નેહા સ્વામીએ પણ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા તેના ચાહકોને માહિતી આપી હતી. તેમની પોસ્ટમાં તેમણે લખ્યું, મને કોરોનાના હળવા લક્ષણો છે. મને અને મારા પરિવારના સુરક્ષિત રહે તે માટે પ્રાર્થના કરો. કૃપા કરીને અમને પણ તમારી પ્રાર્થનામાં રાખો. જણાવી દઈએ કે આ પહેલા અર્જુ બિજલાનીની બિલ્ડિંગમાં એક વ્યક્તિ કોરોના પૉઝિટિવ જોવા મળ્યો હતો, બાદ તેની આખી બિલ્ડિંગ સીલ કરવામાં આવી હતી.