અંજલિ બદલાઈ પણ તેના સ્વભાવનું શું?

14 September, 2020 09:07 PM IST  |  Rajkot | Rashmin Shah

અંજલિ બદલાઈ પણ તેના સ્વભાવનું શું?

સબ ટીવીની લોકપ્રિય સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં તારક મહેતાની વાઇફ અંજલિએ જે રીતે સોસાયટીના રંગારંગ કાર્યક્રમમાં પર્ફોર્મન્સ આપ્યો એ જોઈને તારક મહેતા તેના પર આફરીન થઈ ગયા અને અંજલિનાં વખાણ કરવાનું શરૂ કરી દીધું. નૅચરલી અંજલિને પણ આ ગમી જ રહ્યું છે. આમાં ઉમેરો કરે છે ટપુસેના. ટપુસેના અંજલિઆન્ટીને સરપ્રાઇઝ આપવા ફૂડ-હૅમ્પર સાથે આવે છે અને અંજલિ તથા તારક મહેતાને એ ફૂડ-હૅમ્પર ગિફ્ટ આપે છે. હવે મુદ્દો અહીં એ ઊભો થાય છે કે અંજલિ મહેતાને તો એ ફૂડ-હૅમ્પરમાં આવેલી સ્વીટ્સથી લઈને ફરસાણ ખાવાની છૂટ છે, પણ તે તારક મહેતાને પરમિશન આપશે કે નહીં? તારક મહેતા એ માટે ટ્રાય શરૂ કરી દે છે અને તે ટપુસેનાનો પણ એમાં ઉપયોગ કરે છે. હવે જોવાનું એ છે કે તારક મહેતા પ્રત્યે અંજલિનો સ્વભાવ બદલાયો છે કે નહીં? હવે અંજલિ મહેતા તારકને ખાવા-પીવાની બાબતમાં છૂટ આપે છે કે નહીં? 

તારક મહેતા પાસે કોવિડ-19ના પિરિયડમાં પુષ્કળ ઑથેન્ટિક દલીલ છે, પણ આ દલીલની અસર કેવી થાય છે એ આ વીકના ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના એપિસોડમાં ખબર પડવાની છે.

Rashmin Shah television news taarak mehta ka ooltah chashmah