યે જાદુ હૈ જીન કામાં દાખલ થશે સત્યવાન અને સતિ સાવિત્રીની કથા

30 July, 2020 11:43 PM IST  |  Mumbai Desk | Agencies

યે જાદુ હૈ જીન કામાં દાખલ થશે સત્યવાન અને સતિ સાવિત્રીની કથા

‘યે જાદુ હૈ જીન કા’ના લીડ સ્ટાર વિક્રમ સિંહ ચૌહાણ અને અદિતી શર્મા છે.

સ્ટાર પ્લસના શો ‘યે જાદુ હૈ જીન કા’માં લૉકડાઉન પછી એક બહુ મહત્વપૂર્ણ નવો ચેન્જ આવ્યો છે. આ ચેન્જ મુજબ સીરિયલના લીડસ્ટાર અમનની પાછળ જીન પડી જાય છે અને રોશનીને હરાવવા માટે જીન અમનનો જીવ લઈ લે છે પણ અમનના મૃત્યુને સ્વીકારવા રોશની તૈયાર થતી નથી અને તે અમનને પાછો લાવવાની કોશિશ શરૂ કરે છે. હકીકતમાં આ પૌરાણિક વાર્તાનો ટ્રેક છે. સત્યવાન અને સતિ સાવિત્રીના જીવનમાં બનેલી ઘટનાનું સીધું નિરુપણ ‘યે જાદુ હૈ જીન કા’માં કરવામાં આવ્યું છે. સતિ સાવિત્રી યમદૂત સાથે લડીઝઘડીને તેના વરને પાછો લાવે છે જ્યારે અહીંયા અમન માટે આ કામ રોશની કરે છે અને તે જીન સાથે જંગ માંડે છે.
‘યે જાદુ હૈ જીન કા’ના લીડ સ્ટાર વિક્રમ સિંહ ચૌહાણ અને અદિતી શર્મા છે.

bollywood bollywood news bollywood gossips entertainment news television news