સેટ પર મહિલાઓ સાથેના ખરાબ વર્તનને કારણે મરાઠી શોમાંથી કાઢી નાખવામાં આવ્યો કિરણ માનેને

17 January, 2022 07:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્ટાર પ્રવાહ પર આવતી સિરિયલ ‘મુલગી ઝાલી હો’ના સેટ પર મહિલાઓ સાથે ખરાબ વર્તન કરતો હોવાને કારણે કિરણ માનેને શોમાંથી કાઢવામાં આવ્યો છે.

સ્ટાર પ્રવાહ પર આવતી સિરિયલ ‘મુલગી ઝાલી હો’ના સેટ પર મહિલાઓ સાથે ખરાબ વર્તન કરતો હોવાને કારણે કિરણ માનેને શોમાંથી કાઢવામાં આવ્યો

સ્ટાર પ્રવાહ પર આવતી સિરિયલ ‘મુલગી ઝાલી હો’ના સેટ પર મહિલાઓ સાથે ખરાબ વર્તન કરતો હોવાને કારણે કિરણ માનેને શોમાંથી કાઢવામાં આવ્યો છે. આ શોમાં તે વિલાસ પાટીલનું પાત્ર ભજવી રહ્યો હતો. તેને શોમાંથી કાઢવાને લઈને કિરણે ચોખવટ કરી હતી કે તેણે નેતાઓ માટે કરેલા અપમાનજનક શબ્દોને લઈને તેને શોમાંથી અચાનક બહાર કાઢવામાં આવ્યો છે. જોકે એ વિશે સ્પષ્ટતા કરતાં ચૅનલ વતી જણાવવામાં આવ્યું કે ‘ઍક્ટર કિરણ માને જે ‘મુલગી ઝાલી હો’માં વિલાસ પાટીલનો રોલ કરે છે, તેના દ્વારા જે પણ આરોપ લગાવવામાં આવ્યા છે એ પાયાવિહોણા છે. આ ખરેખર દુઃખદ છે. શોના વિવિધ કલાકારો અને ખાસ કરીને મહિલાઓ સાથેના તેના ખરાબ વર્તનને જોતાં મિસ્ટર માનેને શોમાંથી પાણીચું આપવામાં આવ્યું છે. તેના કો-સ્ટાર્સ, ડિરેક્ટર અને શોના અન્ય યુનિટ મેમ્બર્સે તેના અપમાનજનક અને વાંધાજનક વર્તનની ફરિયાદ કરી હતી. એ વિશે મિસ્ટર માનેને અનેક ચેતવણી આપવા છતાં પણ તેના વર્તનમાં કોઈ સુધારો નહોતો આવ્યો. મહિલાઓ સાથેના તેના અપમાનજનક વર્તનને જોતાં અમે તેને શોમાંથી કાઢવાનો નિર્ણય લીધો છે. કન્ટેન્ટ ઇન્ડસ્ટ્રીના મેમ્બર્સ હોવાથી અમે દરેક વિચાર અને મંતવ્યોને આવકાર આપીએ છીએ અને ફ્રીડમ-ઑફ-સ્પીચને પણ ટેકો આપીએ છીએ. સાથે જ અમે કલાકારો અને એમાં પણ વિશેષ કરીને મહિલાઓ માટે સલામત અને સ્વસ્થ વાતાવરણ ઊભું કરવા માટે કટિબદ્ધ છીએ.’

television news