વર્ષો પછી ફરીથી માઇક પર આવ્યા સુરેશ વાડકર

20 November, 2019 12:00 PM IST  |  Mumbai

વર્ષો પછી ફરીથી માઇક પર આવ્યા સુરેશ વાડકર

સુરેશ વાડકર

સુરેશ વાડકરનું નામ જરાય નાનું નથી. ૮૦ અને ૯૦ના દસકામાં હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના મ્યુઝિકમાં સુરેશ વાડકર બહુ સન્માન ધરાવતા હતા. એ પછી સુરેશ વાડકરે ગાવાનું ઓછું કરી નાખ્યું અને છેલ્લાં થોડાં વર્ષોથી તો તેમણે પ્રોફેશનલી ગાવાનું સાવ જ છોડી દીધું, પણ હવે તેઓ તમને ફરીથી સાંભળવા મળશે અને એ પણ ટીવી-સિરિયલમાં. સ્ટાર ભારતની ‘જગત જનની માં વૈષ્ણોદેવી’માં સુરેશ વાડકરે એક-બે નહીં, પણ ૯ ગીત ગાયાં છે, જે ભજન છે. આ તમામ ગીતોમાં તેમને સાથ મળ્યો છે ખ્યાતનામ સિંગર રુચા શર્માનો.
વૈષ્ણોદેવી સાથે જોડાયેલી વાતો કહેતી આ સિરિયલમાં માતાજીનાં ૯ રાતનાં જાગરણની વાત આવે છે. એ સમયે નવેનવ રાત દરમ્યાન આ ભજન આવે છે, જે માતાજીના આ જાગરણની વાતને આગળ વધારે છે અને જાગરણનું શું મહત્ત્વ છે એ સમજાવાનું કામ કરે છે.

entertaintment tv show