ઝી ટીવીના આગામી શો માટે સિદ્ધાંત વીર સૂર્યવંશીનું મેજર ટ્રાન્સફૉર્મેશન

27 March, 2020 02:43 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ઝી ટીવીના આગામી શો માટે સિદ્ધાંત વીર સૂર્યવંશીનું મેજર ટ્રાન્સફૉર્મેશન

‘ક્યું રિશ્તોં મેં કટ્ટી-બટ્ટી?’

‘સરસ્વતીચંદ્ર’ ફૅમ ડિરેક્ટર અરવિંદ બબ્બલ ઝી ટીવી માટે નવો શો બનાવી રહ્યા છે જેનું નામ છે ‘ક્યું રિશ્તોં મેં કટ્ટી-બટ્ટી?’ આ ફિક્શન શોમાં ‘બાલિકા વધૂ’ ફેમ નેહા મર્દા અને ‘વારિસ’ ફેમ સિદ્ધાંત વીર સૂર્યવંશી લીડ રોલમાં છે. સિદ્ધાંત આ શોમાં કુલદીપ નામના એક બિઝનેસમેનનું પાત્ર ભજવી રહ્યો છે અને તે માટે થોડા જુદા લુકની રિક્વાયરમેન્ટ હતી. આ લૂક મેળવવા માટે સિદ્ધાંત વીર સૂર્યવંશી મેજર ટ્રાન્સફોર્મેશનમાંથી પસાર થયો. શોના મેકર્સ ઓન-સ્ક્રીન પિતાની ઈમેજને તોડવા માગતા હતા જેથી સિદ્ધાંતે ફિટનેસને પ્રાધાન્ય આપી પોતાના ફિઝીક પર પણ ધ્યાન આપ્યું છે. જોકે, વજન ઘટાડીને સિક્સ-પૅક ઍબ્સ કે મસલ્સ બનાવવા સિદ્ધાંત માટે સરળ ન હતું.

સિદ્ધાંતે થોડા સમય પહેલાં જ આર્થરાઈટીસની સર્જરી કરાવી છે જેથી તેના માટે એ સમય કપરો હતો. તે એકપણ દિવસનો ગેપ પાડ્યા વગર છ મહિના સુધી સતત ડાયટ અને ફિટનેસ પર ધ્યાન આપતો રહ્યો. હાલ તો કોઇપણ ટીવી શોનું શુટિંગ શક્ય નથી ત્યારે આ શોની ગાડી પાટે ક્યારે ચડે છે તે જોવું રહ્યું.

television news tv show