ઘણી સ્ટોરીઝ અને કન્સેપ્ટ પર કામ કરી રહી છે શ્વેતા ત્રિપાઠી

23 January, 2020 03:00 PM IST  |  Mumbai

ઘણી સ્ટોરીઝ અને કન્સેપ્ટ પર કામ કરી રહી છે શ્વેતા ત્રિપાઠી

શ્વેતા ત્રિપાઠી

શ્વેતા ત્રિપાઠીનું કહેવું છે કે તે પોતાની સ્ટોરીઝ અને કોન્સેપ્ટને ડેવલપ કરવા પર કામ કરી રહી છે. થોડા સમય પહેલા તે બે આઇડિયાઝ સાથે પોતાનાં ફૅવરિટ લેખક આશિષ મેહતા પાસે ગઈ હતી અને એને સ્ક્રીપ્ટ લખવા કહ્યું હતું. પોતાનાં પ્રોજેક્ટની જાહેરાત તે ટૂંક સમયમાં કરશે. તે ‘મિર્ઝાપૂર’ની બીજી સીઝનમાં પણ જોવા મળશે. સ્ટોરી વિશે શ્વેતા ત્રિપાઠીએ કહ્યું હતું કે ‘એક કલાકાર હંમેશાં સ્ટોરીઝ, સારી રાઇટીંગ અને સ્ટોરી આઇડિયાને શોધતો હોય છે. મારી પાસે બે એવી આઇડિયાઝ હતી જેનાં પર મને ભરોસો છે અને મને લાગ્યુ કે એમાં ઍનર્જી અને દિલથી કામ કરવાની જરૂર છે. આ આઇડિયાઝને ફૂલ સ્ટોરીઝમાં ઢાળવાનું મને લાગ્યુ હતું. હું એ પણ જાણું છું કે એમાં સમય લાગશે.

આ પણ વાંચો : મારાં બાળકો માટે મેં બેહદ 2નું પાત્ર સ્વીકાર્યું : આશિષ ચૌધરી

જોકે આ સ્ટોરીઝને ડેવલપ કરવા માટે હું એમાં ઓતપ્રોત થવા માગુ છું કારણ કે મને એનાં પર પૂરો ભરોસો છે. આશિષની મદદથી હું એ સ્ટોરીને સ્ક્રીપ્ટમાં ઢાળવા માટે સક્રિય ભાગ લઈશ. આશા રાખુ છું કે આ વર્ષે જ હું એના વિશે વિસ્તારપૂર્વક માહિતી આપી શકીશ.’

shweta tripathi television news