માય નેમ ઇઝ લખન સિરિયલથી ટીવીમાં પદાર્પણ કરશે શ્રેયસ તલપડે

25 December, 2018 02:19 PM IST  | 

માય નેમ ઇઝ લખન સિરિયલથી ટીવીમાં પદાર્પણ કરશે શ્રેયસ તલપડે

શ્રેયસ તલપડે

સિરિયલમાં તે એક વિલનની ભૂમિકામાં જોવા મળશે, પરંતુ તેના દિલમાં અપાર દયા હોય છે. સિરિયલમાં દેખાડવામાં આવ્યું છે કે તેના પિતા અને તેની વચ્ચે વિચારોમાં અંતર હોય છે. તેના પિતા માને છે કે દુનિયામાં બધું સારું છે, પરંતુ શ્રેયસ માને છે કે આ દુનિયામાં ફક્ત તાકતવર જ જીવી શકે છે. આ સિરિયલ ૨૦૧૯માં સોની સબ ટીવી પર શરૂ થવાની છે. પોતાના પાત્ર વિશે શ્રેયસે કહ્યું હતું કે ‘ટેલિવિઝન પર ‘માય નેમ ઇઝ લખન’ દ્વારા પદાર્પણ કરવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું.

લખનની ભૂમિકા ભજવવા માટે મારામાં ખૂબ જ તાલાવેલી છે અને મને આશા છે કે લોકોને મારો આ નવો ડાયનૅમિક ઍક્શન-કૉમેડી અવતાર ખૂબ પસંદ પડશે.’

shreyas talpade television news