મેરે સાંઈમાં એન્ટ્રી કરશે શિલ્પા તુળસકર

21 October, 2020 07:25 PM IST  |  Mumbai | Mumbai Correspondent

મેરે સાંઈમાં એન્ટ્રી કરશે શિલ્પા તુળસકર

મેરે સાંઈમાં એન્ટ્રી કરશે શિલ્પા તુળસકર

સોની ટીવી પર આવતા શો ‘મેરે સાંઈ’માં હવે શિલ્પા તુળસકરની એન્ટ્રી થવાની છે. તેઓ ખૂબ જ જાણીતાં થિયેટર આર્ટિસ્ટ અને ટીવીમાં પણ જાણીતું નામ છે. આ શોમાં એક નવો ટ્રૅક ઍડ થવા જઈ રહ્યો છે અને એથી જ શિલ્પા તુળસકરને પસંદ કરવામાં આવી છે. આ શોમાં તે વસુંધરાનું પાત્ર ભજવી રહી છે. દ્વારકામાઈમાંથી જ્યારે સાંઈને અરેસ્ટ કરીને પોલીસ લઈ જાય છે એ સમયનો આ ટ્રૅક છે. આ દરમ્યાન વસુંધરાને ત્યાં બાળકનો જન્મ થાય છે અને તેના પર નવા-નવા પ્રૉબ્લેમ આવે છે. જોકે સાંઈ પરની શ્રદ્ધાને કારણે તેને દરેક પ્રૉબ્લેમમાંથી હાશકારો મળે છે. આ વિશે શિલ્પાએ કહ્યું હતું કે ‘ફેબ્રુઆરીમાં હું મારા ફૅમિલી અને ફ્રેન્ડ્સ સાથે શિર્ડી સાંઈબાબાનાં દર્શને ગઈ હતી. માર્ચથી મેં દર ગુરુવારે સાંઈ ચરિત્ર વાંચવાનું શરૂ કર્યું હતું. સાત મહિના બાદ હું ‘મેરે સાંઈ’ દ્વારા કામ શરૂ કરી રહી હોવાની ખુશીની સાથે સરપ્રાઇઝ પણ છું. હું 17 વર્ષની હતી ત્યારથી તુષાર દળવીને ઓળખું છું અને તેમની સાથે ફરી કામ કરવાની મને ખુશી છે.’

television news entertainment news