વાયરલ થયા મુકેશ ખન્નાના નિધનના સમાચાર, શક્તિમાને વીડિયો પોસ્ટથી કરી સ્પષ્ટતા

12 May, 2021 03:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હવે મુકેશ ખન્નાએ પોતે આ સમાચાર પર સ્પષ્ટતા આપી છે અને જણાવ્યું કે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.

મુકેશ ખન્ના

શક્તિમાન (Shaktimaan)અને ભીષ્મ પિતામહ જેવા પાત્ર ભજવી ચૂકેલા દિગ્ગજ અભિનેતા મુકેશ ખન્ના (Mukesh Khanna)ના નિધનના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા હતા. આ અફવા કેટલાક ફેન પેજ પર પણ શૅર કરવામાં આવી જેના પછી મુકેશ ખન્નાના ચાહકો ચિંતાગ્રસ્ત જોવા મળ્યા. હવે મુકેશ ખન્નાએ પોતે આ સમાચાર પર સ્પષ્ટતા આપી છે અને જણાવ્યું કે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.

સતત વાગ્યો મુકેશ ખન્નાનો ફોન
મુકેશે જણાવ્યું કે આ સમાચાર વાયરલ થયા પછી તેમનો ફોન વાગવા માંડ્યો અને લોકો તેમના સ્વાસ્થ્યને જાણવા માટે ફોન કરવા માંડ્યા. મુકેશ ખન્નાએ ફેસબૂક પર એક વીડિયો પોસ્ટ કર્યો જેની સાથે તેમણે એક નોટ લખીને જણાવ્યું કે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. પોતાના નિધનના સમાચાર પર સ્પષ્ટતા આપવાની સાથે મુકેશ ખન્નાએ તે લોકોને પણ ફટકાર લગાડી જે આવા સમાચાર વાયરલ કરે છે.

વીડિયો પોસ્ટ કરીને આપી સ્પષ્ટ
મુકેશે કહ્યું કે સોશિયલ મીડિયા પર આ જ એક સમસ્યા છે. મુકેશે વીડિયો સાથે લખ્યું, "તમારા આશીર્વાદથી, હું સંપૂર્ણ રીતે સ્વસ્થ અને સુરક્ષિત છું. મને નથી ખબર કે આ અફવા કોણ ફેલાવી રહ્યું છે અને મને નથી ખબર કે આ પ્રકારના સમાચાર ફેલાવનારાનો હેતુ શું છે. તે આ પ્રકારની અફવાઓ દ્વારા લોકોનું મનોબળ તોડી દે છે."

મુકેશ ખન્નાએ કાઢ્યો ગુસ્સો
તેમણે લખ્યું, "આ પ્રકારના માનસિક રીતે અસ્થિર લોકોનું શું કરવું જોઇએ? તેમની ભૂલોની સજા તેમને કોણ આપશે? હદ થઈ છે. હવે આ ખૂબ જ વધારે થઈ રહ્યું છે. આ પ્રકારની અફવાઓ પર વિરામ લાગવું જોઇએ." જણાવવાનું કે મુકેશ ખન્નાના મોટા ભાગના ફેન્સ તેમને બીઆર ચોપડાની મહાભારતમાં તેમના ભીષ્મ પિતમહના પાત્ર અને શક્તિમાન સીરિયલમાં શક્તિમાનના પાત્ર માટે જાણે છે.

television news entertainment news mukesh khanna bollywood news bollywood