કેમ ઘરના સામાન વેચવા પડી રહ્યા છે રોનિત રૉયને, જાણો અહીં

05 June, 2020 08:54 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

કેમ ઘરના સામાન વેચવા પડી રહ્યા છે રોનિત રૉયને, જાણો અહીં

રોનિત રૉય

ટેલિવિઝન અભિનેતા રોનિત રૉયે એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે તેમને જાન્યુઆરીથી પેમેન્ટ મળી નથી અને 100 પરિવારોને પણ સપોર્ટ કરવાનો છે. આ કારણે તેમને વસ્તુઓ વેચીને આ કામ પાર પાડવું પડી રહ્યું છે. રોનિત રૉયે ઇ-ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો. એટલું જ નહીં, રોનિત રૉયે ચેનલ અને પ્રૉડ્યૂસરોને પણ કલાકાર અને ક્રૂ મેમ્બર્સને બાકીના પૈસા ચૂકવવાનું પણ આહ્વાન પણ કર્યું છે. રોનિત રૉય 'ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી', 'કસોટી જિંદગી કી', 'અદાલત' અને 'ઇતના કરો ન મુઝે પ્યાર' જેવી સીરિયલ્સમાં દેખાઈ ચૂક્યા છે.

રોનિત રૉયે આ ઇન્ટરવ્યૂમાં કહ્યું, 'હું મારી વાત કરું તો મેં જાન્યુઆરીથી અત્યાર સુધી એક પૈસાની કમાણી નથી કરી. મારા ઘણાં નાના બિઝનેસ છે જે ચાલી રહ્યા છે. પણ હવે તે માર્ચથી બંધ પડ્યા છે. મારી પાસે જે પણ છે તેનું 100 પરિવારોને સપોર્ટ કરવા માટે વેંચી રહ્યો છું. આ તે પરિવાર છે જેમની માટે હું જવાબદાર છું.'

રોનિત રૉયે કહ્યું, "હું વધારે ધનાઢ્ય નથી પણ હું કરી રહ્યો છું. પ્રૉડક્શન હાઉસેઝ અને ચેનલ્સે પણ કરવું જોઇએ જેમના ઑફિસ એટલા સરસ છે અને બે કિલોમીટર દૂરથી પણ દેખાઈ આવે છે. તેમણે પણ કંઇક કરવું જોઇએ. તેમણે લોકની મદદ કરવી જોઈએ. જો આ સમયમાં તમે એક્ટર્સની મદદ નથી કરતાં તો આ યોગ્ય નથી. તમારે તેમને 90 દિવસ પછી પણ આપવાનું છે પણ તેમને અત્યારે જરૂરિયાત છે, તેમને અત્યારે આપો. તે ભૂખ્યા ન રહી જાય." જો કે તેમણે કબ્યું કે તાણમાં કોઇપણ અયોગ્ય પગલું લે તેનાથી બચવું.

television news bollywood bollywood news bollywood gossips