23 September, 2022 02:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહન જોશી
રોહન જોષીને હાલમાં જ સોશ્યલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ કરવામાં આવ્યો છે. એઆઇબી માટે જાણીતા રોહિત જોષીએ રાજુ શ્રીવાસ્તવ વિશે કમેન્ટ કરી હતી. રાજુ શ્રીવાસ્તવનું બુધવારે મૃત્યુ થયું હતું. તેના મૃત્યુનું દુઃખ વ્યક્ત કરવાને બદલે રોહને તેના વિશે ખરાબ વાતો કરી હતી. તે કેવી રીતે અન્ય લોકોની કૉમેડી તોડી પાડતો અને વિવિધ ઇન્ટરવ્યુમાં આવનારી ટૅલન્ટને તોડી પાડતો એ વિશે તેણે વાત કરી હતી. લોકો સોશ્યલ મીડિયા પર કહી રહ્યા છે કે તેમને મિસ કરવામાં આવશે અને મોટી ખોટ સાલશે. જોકે રોહને કહ્યું હતું કે તેમની ઊણપ નહીં સરજાય. સોશ્યલ મીડિયા પર લોકોને તેની આ કમેન્ટ પસંદ નથી આવી. તેને એટલો ટ્રોલ કરવામાં આવ્યો હતો કે તેણે અંતે આ કમેન્ટને ડિલીટ કરી દીધી હતી. રોહન જોષી તેની આવી વિવાદાસ્પદ કમેન્ટ માટે જાણીતો છે. તેના જે વિચાર હોય તેને એ હંમેશાં રજૂ કરતો આવ્યો છે. ઘણી વાર એ લોકોને પસંદ પડે છે તો ઘણી વાર પસંદ નથી પડતા.