પાર્થ સમથાને સોશ્યલ મીડિયામાંથી લીધો બ્રેક

07 July, 2020 09:49 PM IST  |  Ahmedabad | Agencies

પાર્થ સમથાને સોશ્યલ મીડિયામાંથી લીધો બ્રેક

પાર્થ સમથા

ટેલિવિઝન હાર્ટથ્રોબ પાર્થ સમથાન હાલમાં પોતાના વ્યક્તિગત જીવનને કારણે ચર્ચામાં છે. થોડા સમય પહેલાં તે પોતાના શો ‘કૈસી હૈ યારિયાં’ના પ્રોડ્યુસર વિકાસ ગુપ્તા સાથે અંગત કારણસર થયેલા ઝઘડાને લીધે વિવાદમાં રહ્યો હતો. પાર્થે વિકાસ સાથે રિલેશનશિપમાં રહ્યા બાદ તેની સામે જાતીય સતામણીની ફરિયાદ કરતાં ટીવી-જગતમાં હોબાળો મચી ગયો હતો અને ત્યારથી વિકાસ ગુપ્તા પણ પાર્થ સહિતના કલાકારો સામે થયો છે.
એ પછી પાર્થે લૉકડાઉન દરમ્યાન હૈદરાબાદ જઈને મિત્રો સાથે પાર્ટી કરતાં તેના પર સોશ્યલ ડિસ્ટન્સનું પાલન ન કરવાનો આરોપ લાગ્યો હતો, તો તાજેતરમાં પાર્થ મીડિયા સાથે અણછાજતું વર્તન કરે છે એવો વિડિયો પણ ચર્ચિત બન્યો છે. આ બધા વચ્ચે હવે પાર્થે સોશ્યલ મીડિયાને થોડો સમય બાય-બાય કહી દીધું છે. અગાઉ અભિનેતાએ જણાવ્યું હતું કે તે લૉકડાઉન દરમ્યાન ડિપ્રેશનનો ભોગ બન્યો હોય એટલે માનસિક સ્વાસ્થ્ય માટે તે સોશ્યલ મીડિયાથી દૂર થઈ ગયો હોય એવું બને. ઉલ્લેખનીય છે કે અગાઉ પાર્થની કો-સ્ટાર એરિકા ફર્નાન્ડિસ અને ‘બેહદ’ની ઍક્ટ્રેસ જેનિફર વિન્ગેટ પણ થોડો સમય સોશ્યલ મીડિયા પરથી ગાયબ થઈ ગઈ હતી.

television news bollywood